ગણિતશાસ્ત્રી
" mathematics is the most beautiful creation being human spirit"
પાયથાગોરસ
સમયગાળો: 580B.C.-500B.C.
જન્મ: ઈ.સ પૂર્વ 582 માં
::પયથાગોરસ વિશે માહિતી::
ગણિતના પ્રમેયને જેનું નામ આપ્યુ છે તેવા પાયથાગોરસનો જન્મ ૫૭૦ ઇ.પૂ. સામોસ ગામમાં થયો હતો. તેઓ પ્રાચીન ગ્રીક તત્ત્વચિંતક અને ગણિતજ્ઞા હતા. એક વાયકા પ્રમાણે તે સમયે પાયથાગોરસે એવું નિવેદન આપ્યું હતંુ કે સંખ્યા જ વિચારોની શાસક છે, અને દેવો અને દૈત્યોના શાસનનું કારણ છે. ટૂંકમાં તેઓ સંખ્યાને સર્વેસર્વા માનતા હતા. તેમના સમયમાં તેમણે ક્રોટન શહેરના લોકોના સાંસ્કૃતિક જીવનમાં સુધાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તે સમયે લોકોને પાયથાગોરસના આવા વિચારો અજીબ લાગતા હતા, છતાં પાયથાગોરસે પોતાની મહેનત ક્યારેય છોડી નહોતી. કહેવાય છે કે પાયથાગોરસ પોતાની ભણવાની તીવ્ર ઇચ્છાના કારણે ઘણીવાર સ્કૂલમાં જ રહેતા હતા.
પાયથાગોરસે તેમના જીવનમાં ધાર્મિક શિક્ષણ, સામાન્ય ભોજન, વ્યાયામ, પઠન અને દાર્શનિક અધ્યયન યુક્ત જીવન જીવવાનો આગ્રહ રાખ્યો હતો, તેઓ તેમની આસપાસના લોકોને પણ આ જ રીતે જીવવાની પ્રેરણા આપતા રહેતા.
પાયથાગોરસને ગણિત સાથે અપાર પ્રેમ હતો, તે સમયે ગણિત શું છે તે વિશે પણ અમુક લોકો નહોતા જાણતા, ત્યારે પાયથાગોરસ પોતાની શાળામાં ગણિત, ભૂમિતિ અને સંખ્યાના અનેક પ્રયોગો કરતા, આ પ્રયોગ કરીને તેમાંથી અલગ-અલગ ઉત્તર મેળવવા પ્રયત્ન કરતાં રહેતાં તે સમયે તેમની શોધના કારણે આજે આપણને પ્રમેયને શીખી શક્યા છીએ. પાયથાગોરસ બાદ તેમના નિયમની પ્લેટો ઉપર ખાસ્સી અસર પડી હતી. અને તેમણે પાયથાગોરસની પદ્ધતિને અપનાવી આગળ શોધ ચલાવી હતી.
પાયથાગોરસ કે સામોસનો પાયથાગોરસ (જન્મ. ૫૭૦ ઈ.પૂ. લગભગ - અવસાન. ૪૯૫ ઈ.પૂ. લગભગ.[૧][૨]) પ્રાચીન ગ્રીક તત્વચિંતક અને ગણિતજ્ઞ હતો. જે તેમની પાયથાગોરાનિઝમ તરીકે જાણીતી ધાર્મિક ચળવળ, તત્વચિંતન અને ગણિતમાં તેનાં કાર્ય માટે પ્રખ્યાત છે. જો કે પાયથાગોરસ વિશેની મોટાભાગની માહિતીઓ તેમનાં સમયગાળા પછી, સદીઓ પછી, લખવામાં આવી આથી તેમના વિશે આધારભુત ગણાય તેવી માહિતીઓ બહુ થોડી જ છે. તે સામોસ ટાપુ પર જનમ્યો હતો, અને યુવાકાળમાં ઘણી મુસાફરી કરેલી. તેમણે ઈજીપ્તની મુલાકાત પણ લીધેલી. ૫૩૦ ઈ.પૂ. તે દક્ષિણ ઈટાલીમાં સ્થિત ગ્રીક વસાહત ક્રોટોનમાં આવી વસ્યો. અને ત્યાં તેમણે એક નવો ધાર્મિક પંથ સ્થાપ્યો.
::પાયથાગોરસ નું ગણિતમાં પ્રદાન::
પ્રાચીન વિશ્વકાળના વિધવંશ વૈજ્ઞાનિક અને મહાનગણિતશાસ્ત્રી તરીકે પયથાગોરસ પોતાની છાપ છોડે છે.
ગણિતમાં અલગ-અલગ વિભાગમાં ભૂમિતિ-ક્ષેત્રે પયથાગોરસનું વિષેશ પ્રદાન છે.પાયથાગોરસના સિદ્ધાંતને જેટલી પ્રસિદ્ધિ અને લોકવાયકા મળી છે તેટલી બીજા કોઈ સિદ્ધાંત ને મળી નથી. અપને જાણીએ છીએ તેમ પાયથગોરસનો સિદ્ધાંત એટલે"કાટકોણ ત્રિકોણ માં કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો કર્ણ ના માપના વર્ગ બરાબર થાય છે."
આ સિદ્ધાંત પાયથગોરસ ની પૂર્વે ઇજિપ્તવાસીઓ જાણતા હતા પરંતુ ઇજિપ્તના ગણિતના આવા તજગનો પાસે આ સિદ્ધાંત સાચો છે.
સત્ય છે એવું પુરવાર કરવાનું શ્રેય પાયથગોરસ ને ફાળે જાય છે.
પાયથગોરસના શિષ્યોએજ સૌપ્રથમ કોપરનીકસને એવી સંકેત આપ્યો હતો કે બ્રહ્માંડનું કેન્દ્ર સૂર્ય છે. પાયથગોરસને શ્રદ્ધા હતી કે ગ્રહો નક્ષત્રોના પરિભ્રમણનો પથ વૃત્તાંકાર હોવો જોઈએ કારણકે તેની અંગત માન્યતા પ્રમાણે પરિભ્રમણ માટે સર્વવશ્રેષ્ઠ પથ
વૃત સિવાય અન્ય હોયજ ન શકે તેવી માન્યતા ધરાવતો હતો.
પાયથગોરસે પોતના ગણિત સબંધી જ્ઞાનને સંગીતમાં
ઉતારી,શુદ્ધતામ સંગીત ધ્વનિ સંભળાય તેમાટે તારોની લંબાઈ વીસેને માહિતી સમાજને આપી.
એટલે તો બસો વરસ પછી એરિસ્ટોટલે પાયથાગોરીયન પરંપરા વિશે કહ્યું હતું,-એ લોકો એ પોતાનું જીવનજ સંગીત ને સમર્પિત કરી દીઘું હતું અને એમના કારણેજ ગણિત ની પ્રગતિ સંભવિત બની"
::પાયથાગોરસ વિશે જાણવા જેવું::
:: પાયથાગોરસ નો પ્રમેય::
::પાયથગોરસના પ્રમેય નું પ્રતિપ્રમેય::
::પાયથગોરસના પ્રમેયનું મહત્વ::
-સમબાજુ ,સમદ્વિબાજુત્રિકોણ ની બાજુના માપ શોધવામાં આવે છે.
-ત્રિકોણ ની બધીજ બાજુના માપ શોધી શકાય છે.
-ફિશીંગબોર્ડ માં પાયથગોરસ પ્રમેય ઉપયોગી નીવડે છે.
-શેતરંજી ની બનાવટ માં ઉઓયોગી છે.
-અવકાશમાં તારાઓ વચ્ચેનું અંતર જાણવા માટે.
The End
Nice
ReplyDelete